સરકાર કદાચ સાથ છોડી દેશે…પણ ‘માઁ’ ક્યારેય નહીં છોડે.

મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજુરી કરતા પરિવારોના ઘર, જમીન અને બંધારણીય હક્ક અને અધિકારોની રક્ષા માટે સંપૂર્ણ નિ:શુલ્ક તેમજ કોઇપણ ભેદભાવ વગર તેમનો ટેકો બનીને ઉભું છે….

અમારું કામ માત્ર કાગળ પર નહીં… જમીન ઉપરની હકીકત છે.

પરિવારોનાં ઘરો અમે કાયદેસર રીતે રેગ્યુલરાઈઝ કરાવ્યાં
0 +
પિટિશનો ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી, લડી, જીતી
0 +
ખેડૂતોને ગેરકાયદેસર જમીન સંપાદનની લડતમાં ટેકો
0 +
પ્રથમ સંપર્કથી હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર
0 days
ખર્ચે કરવામાં આવેલું. હંમેશા.
0
અમારી ઓળખ

ભારતના બંધારણમાં લખાયેલા અધિકારો…ગામડા સુધી પહોંચાડવાનું કામ.

મધર્સ ફાઉન્ડેશન જામનગર, ગુજરાતમાં કાર્યરત એક બિનસરકારી સંસ્થા છે.

૦૧

અમે કોઈપણ રાજનૈતિક સંસ્થા સાથે સંકળાયેલા નથી.

૦૨

અમે કોઇ દિવસ કોઇપણ પરિવાર પાસેથી ક્યારેય એક પણ રૂપિયો લીધો નથી.

૦૩

અમારા કામની એક જ ઓળખ છે...પરિણામ.

આપણા અસહાય ખેતી મજૂરી કરતા પરિવારો ભારતના બંધારણમાં લખાયેલા રક્ષણથી આજે પણ ખૂબ દૂર છે.... અમે એ જ અંતર ઘટાડવાનું કામ કરી રહ્યા છીએ.

અમે વર્ષોથી ગામડાઓમાં ખેતી મજૂરી કરતા પરિવારોના હિત માટે સંકલ્પબદ્ધ છીએ.
કારણ કે ભારતનું બંધારણ કાગળ ઉપર દરેક નાગરિકને એક સમાન અધિકારો આપે છે, પણ હકીકતમાં એ અધિકારો દેશના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો સુધી કોઇ દિવસ પહોંચતા જ નથી. જે ખેડૂત ચાલીસ-ચાલીસ વર્ષથી પોતાની જમીન ઉપર ખેતી કરતો આવ્યો હોય એને પોતાના અધિકારોની જ ખબર નથી હોતી. જે પરિવારને સવારે સેક્શન (કલમ)-61 હેઠળ ઘર ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવે એને એ પણ ખબર નથી હોતી કે તેઓ આ નોટિસ વિરુદ્ધ લડી શકે છે અને જે મજૂરની જમીન હાઇપાવર ટ્રાન્સમિશન લાઈન માટે સંપાદિત કરવામાં આવી રહી હોય એને ખબર પણ નથી હોતી કે કાયદાની પણ મર્યાદાઓ હોય છે અને એ મર્યાદાઓ એમના રક્ષણ માટે જ બનાવવામાં આવી છે.

કાયદેસરની લડત દ્વારા… લોકોને એમના બંધારણીય અધિકારોની સમજ આપીને… અને એક વિશ્વાસ સાથે કે ન્યાય માત્ર પૈસાવાળા લોકોનો અધિકાર નથી.

અમારી સેવાઓ

એક લડત… છ મોરચા.

૧. ઘર રેગ્યુલરાઈઝેશન

ગુજરાતના ગામડાઓમાં હજારો પરિવારો વર્ષોથી સરકારી ખરાબા અને પડતર જમીન ઉપર રહેતા આવ્યા છે.

આ ઘરો દાયકાઓ પહેલાં બનાવવામાં આવેલા હોય… છતાંય આજે સરકાર એ જ ઘરોને ગેરકાયદેસર જાહેર કરી નાખે છે.

મધર્સ ફાઉન્ડેશન આવા પરિવારો વતી કલેક્ટર પાસે રેગ્યુલરાઈઝેશનની અરજીઓ કરે છે… ગુજરાત હાઈકોર્ટ સુધી લડત લડે છે… અને પરિવારોના ઘરોને કાયમી રીતે કાયદેસર માન્યતા અપાવવાનું કામ કરે છે.

૨,૧૦૦થી પણ વધુ પરિવારો માટે અમે આ લડત લડી અને જીતી ચૂક્યા છીએ. એ પણ સંપૂર્ણ નિઃશુલ્ક — એક પણ રૂપિયો લીધા વગર.

૨. ખેડૂતોની જમીનની લડત

જ્યારે કંપનીઓના પ્રોજેક્ટ, ટ્રાન્સમિશન લાઈનો અને જમીન સંપાદન ગામડાઓ સુધી પહોંચે છે… ત્યારે પેઢીઓથી ખેતી કરતા ખેડૂતો પોતાની જ જમીન ગુમાવવાની સ્થિતિમાં આવી જાય છે. માત્ર જામનગર જિલ્લામાં જ અમે ૮૦૦થી વધુ ખેડૂતો માટે લડત લડી છે.

૩. કાયદા અને અધિકારોની સમજ

સરકારી નોટિસ મળ્યા પછી મોટા ભાગના પરિવારો માની લે છે કે સરકાર જે કહે છે એ જ સાચું હશે. અમે એમની ઢાળ બનીને ઊભા રહીએ છીએ — અને સમજાવીએ છીએ કે બંધારણ હેઠળ ખેડૂત હોય કે કંપની, મજૂર હોય કે મંત્રી, કાયદો બધા માટે એકસરખો છે.

૪. કાયદેસર દસ્તાવેજોની તૈયારી

ઘણા પરિવારો કોર્ટ સુધી પહોંચે એ પહેલાં જ હારી જાય છે — કારણ કે એમના દસ્તાવેજો અધૂરા હોય, ખોટી રીતે રજૂ થયેલા હોય, અથવા વર્ષો સુધી ભેગા જ કરવામાં આવ્યા ન હોય. અમે જરૂરી કાગળો ભેગા કરવામાં, ચકાસવામાં અને કાયદેસરની રીતે ગોઠવવામાં મદદ કરીએ છીએ.

૫. નારીશક્તિને મિલકતનો હક

પતિના અવસાન પછી અથવા પરિવારની જવાબદારી સ્ત્રીઓના ખભા ઉપર આવી પડે પછી, મહિલાઓ પોતાના જ ઘર અને જમીનના હકો ગુમાવવાની સ્થિતિમાં આવી જાય છે. અમે ખાસ કરીને મહિલાઓના જમીન અને વારસાગત અધિકારો માટે કામ કરીએ છીએ.

૬. મતાધિકાર અને જાગૃતિ

મતદાન માત્ર સરકાર બનાવવાનો અધિકાર નથી — પોતાના ઘર અને જમીનના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો અધિકાર પણ છે. તમે મતદાન વખતે જે અધિકારનો ઉપયોગ કરો છો… એ જ અધિકારો એક દિવસ તમારા ઘરની રક્ષા પણ કરે છે.

૨,૧૦૦થી પણ વધુ પરિવારો માટે અમે આ લડત લડી અને જીતી ચૂક્યા છીએ. એ પણ સંપૂર્ણ નિઃશુલ્ક — એક પણ રૂપિયો લીધા વગર.

અમારી લડતનાં પરિણામો

દરેક વાત… કાયદેસર રેકોર્ડ સાથે.

અમે એવા દાવા કરતા જ નથી… જેની સાબિતી અમે આપી ન શકીએ.

નીચે આપેલો દરેક આંકડો… ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલા કેસો, સરકારી અરજીઓ અને જાહેર કાયદેસર રેકોર્ડ ઉપર આધારિત છે.

જામનગર જિલ્લો

૮ ગામો

ચંદ્રગઢ, ધુતારપર, ધુડસિયા, લોઠિયા, રસુલનગર, વરણા, રાજસ્થળી, રાજડા, 

૨,૧૦૦+ પરિવારો. જામનગર કલેક્ટર પાસે રેગ્યુલરાઈઝેશનની અરજીઓ દાખલ.

પોરબંદર જિલ્લો

૪ ગામો — ભારવાડા સહિત

૧૫૦+ પરિવારો માત્ર ભારવાડા ગામમાં.

સેક્શન ૬૧ની નોટિસો સામે કાયદેસર લડત. ₹૫૦ લાખથી પણ વધુ થઈ શકે એવો કાયદેસર ખર્ચ મધર્સ ફાઉન્ડેશને સંપૂર્ણ રીતે ઉઠાવ્યો.

અમરેલી જિલ્લો

રફાળા ગામ

૨૫+ પરિવારો. અમરેલી કલેક્ટર પાસે અરજીઓ દાખલ.

ગુજરાત હાઈકોર્ટના આદેશો

ઉપર આપેલો દરેક ઓર્ડર જાહેર કાયદેસર રેકોર્ડનો ભાગ છે.

ચેરપર્સન

જલ પટેલ

મધર્સ ફાઉન્ડેશન જામનગર

અમારો અવાજ

જલ પટેલ

ચેરપર્સન · મધર્સ ફાઉન્ડેશન

જલ પટેલ જામનગરના મધર્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે… અને ગુજરાતના હજારો પરિવારો માટે મધર્સ ફાઉન્ડેશન વતી ઉઠતો એક અવાજ પણ છે.

જામનગરમાં ઊછરેલી જલ પટેલે બાળપણથી પોતાના પરિવારને ખેતી મજૂરી કરતા શ્રમિકો માટે એક પછી એક કાયદેસરની લડતો લડતા જોયા છે.

જલ પટેલને વારસામાં કોઈ વ્યવસાય નહોતો મળ્યો એક લડત મળી હતી.

આજે જલ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી… ગામડાઓમાં યોજાતા કાયદાકીય કેમ્પો દ્વારા… અને જરૂરતમંદ પરિવારો સુધી સીધા જોડાઈને… આ સંસ્થાનો અવાજ ગુજરાતના હજારો પરિવારો સુધી પહોંચાડવાનું કામ કરે છે.

ઘણા પરિવારો માટે પોતાના પ્રશ્નો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવાનું કામ આજે જલ પટેલનો અવાજ કરે છે.

જલ પટેલનો વાયદો એ જ સંસ્થાનો વાયદો છે. કોઈપણ પરિવાર પોતાના માથા ઉપરનું છાપરું નહીં ગુમાવે. અને જો ક્યારેય બુલડોઝર તમારા આંગણે પહોંચે… તો જલ પટેલ તમારી ઢાળ બનીને ઊભી રહેશે.

દરેક ભારતીય નાગરિકને બંધારાણે સરખા અધિકાર આપ્યા છે,
પણ એ અધિકારોનું રક્ષણ ગામડાના લોકો સુધી પહોંચે એની ખાતરી હું લઉં છું -જલ પટેલ

અમારી લડતો

અમારી લડતોના કેટલાક કિસ્સાઓ

મીડિયામાં

અમારું કામ હવે માત્ર ગામડાઓ સુધી મર્યાદિત નથી રહ્યું.

મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી જે કાયદેસરની લડતો લડી રહ્યું છે… એ હવે ગુજરાતના અખબારો, ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની રહી છે.

કારણ કે જ્યારે હજારો પરિવારોના ઘર ઉપર બુલડોઝરનો ખતરો ઊભો હોય… જ્યારે ખેડૂતો પોતાની જ જમીન બચાવવા માટે કોર્ટના દરવાજા ખખડાવતા હોય… ત્યારે આવી લડતો લાંબા સમય સુધી છુપાઈ રહેતી નથી.

વાતચીત અહીંથી શરૂ થાય છે.

ગુજરાતના હજારો પરિવારો માટે જલ પટેલ સોશિયલ મીડિયા દ્વારા સીધા જોડાયેલો એક અવાજ બની ચૂક્યા છે.

સરકારી નોટિસો શું હોય છે… લોકોએ કાયદેસર રીતે શું કરવું જોઈએ… કયા અધિકારો એમને બંધારણ આપે છે… અને કઈ રીતે લડવું જોઈએ… આ બધી વાતો મધર્સ ફાઉન્ડેશન સીધી લોકો સુધી પહોંચાડે છે.

અહીં તમને કાયદાકીય સમજ પણ મળશે… ચાલતી લડતોના અપડેટ પણ મળશે… અને ગામડાઓની જમીન ઉપર ચાલી રહેલી હકીકત પણ જોવા મળશે.

અમારી ટીમ

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં…
લોકો અમારી સાથે જોડાઇને જમીની સ્તરે કામ કરી રહ્યા છે.

કાનૂની ટીમ

હાઈકોર્ટ અને જિલ્લા સ્તરે પરિવારોની કાનૂની લડત લડતા એડવોકેટ્સ.

પ્રશાંત શર્મા
એડવોકેટ — ગુજરાત હાઈકોર્ટ
અમદાવાદ

અમદાવાદના નામાંકિત હાઈકોર્ટ એડવોકેટ. જમીન, ડિમોલિશન અને બંધારણીય અધિકારોના કેસોમાં વર્ષોનો અનુભવ. મધર્સ ફાઉન્ડેશન માટે જામનગરના પરિવારોની હાઈકોર્ટ પિટિશનો સંભાળે છે.

કેયુર શાહ
એડવોકેટ — ગુજરાત હાઈકોર્ટ
અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ. રિટ પિટિશન, સ્ટે ઓર્ડર અને રેવેન્યૂ કેસોમાં અમારી ટીમના સહયોગી.

ધૃતિ માકડિયા
એડવોકેટ
જામનગર

ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ. રિટ પિટિશન, સ્ટે ઓર્ડર અને રેવેન્યૂ કેસોમાં અમારી ટીમના સહયોગી.

મીડિયા / સંલગ્ન સંસ્થા

અમારી લડતોને ગુજરાતના લોકો સુધી પહોંચાડતા મીડિયા સહયોગીઓ.

સંજીવભાઈ ચેતરિયા
ફાઉન્ડર — Sanatan Satya News
ગુજરાત

ગુજરાતના સામાજિક, કાનૂની અને ગ્રામ્ય મુદ્દાઓ ઉપર રિપોર્ટિંગ કરતી ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ Sanatan Satya News ના ફાઉન્ડર. મધર્સ ફાઉન્ડેશનની લડતોને રાજ્યભરના પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

અમારી ટીમ વધી રહી છે — અમદાવાદ, મહેસાણા અને બીજા જિલ્લાઓમાં કોઓર્ડિનેટર્સ ટૂંક સમયમાં ઉમેરાશે.

અમારો સંપર્ક

શું તમને ઘર ખાલી કરવાની નોટિસ મળી છે?તો રાહ જોશો નહીં.

આવી લડતમાં સમય સૌથી મહત્વનો પાસો હોય છે.
જો તમને અથવા તમારા ઓળખાણના કોઈ પરિવારને ઘર તોડવાની, જમીન ખાલી કરવાની કે સેક્શન-61 હેઠળ નોટિસ મળી હોય તો આજે જ મધર્સ ફાઉન્ડેશનની ઓફીસે પહોંચો.
ઘણા પરિવારો એક જ ભૂલ કરે છે, એમને લાગે છે કે થોડા દિવસ પછી જોઈશું. પણ ઘણી વખત થોડા દિવસો પછી બહુ મોડું થઈ ચૂક્યું હોય છે.

અમારી ખાતરી

જો તમારા માથા ઉપરનું છાપરું બચાવવાની જરૂર હોય… તો મધર્સ ફાઉન્ડેશનનો દરવાજો તમારા માટે હંમેશા ખુલ્લો છે.